Connect Gujarat
ગુજરાત

અમદાવાદમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જીપ ચાલકે ટક્કર મારતા 2 બાઈક સવારોના મોત

રાજ્યમાં અકસ્માતના બનાવો વધી રહયા છે ત્યારે અમદાવાદમાં મોડી રાત્રે કર્ણાવતી ક્લબ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.

X

રાજ્યમાં અકસ્માતના બનાવો વધી રહયા છે ત્યારે અમદાવાદમાં મોડી રાત્રે કર્ણાવતી ક્લબ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદમાં મોડી રાત્રે કર્ણાવતી ક્લબ નજીક એક ગંભીર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જેમાં 2 યુવકના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. સ્પીડમાં રોંગ સાઈડ આવી રહેલી મહિન્દ્રા થાર બાઇકને જોરદાર ટક્કર મારતા ઘટનાસ્થળે જ બાઈક પર સવાર બંને યુવકના મૃત્યુ નીપજ્યા છે.

માહિતી પ્રમાણે, આંબલી ગામના રહેવાસી સુરેશ ઠાકોર અને ઘુમા ગામ નો રહેવાસી તેનો મિત્ર સારંગ કોઠારી સરખેજ સ્થિર જસ્ટ ડોગ માં નોકરી કરતા હતા. અકસ્માતની જાણ થતા તુરંત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલમાં આ મામલે ટ્રાફિક પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે પોલીસ દ્વારા અકસ્માત કેસ દાખલ કરવામાં આવ્યો છે અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે થાર કાર ની નંબર પ્લેટ ના આધારે પોલીસે હિટ એન્ડ રન કરીને ફરાર થઇ જનારા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. M ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને કારચાલકને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તો આસપાસ ના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

Next Story