નવસારી: કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માના પરપ્રાંતીયો અંગેના નિવેદનને સી.આર.પાટીલે ગુજરાતીઓનું ગણાવ્યું અપમાન
રઘુ શર્માના પરપ્રાંતિયો અંગેના નિવેદનને લઈ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. સી.આર.પાટિલે ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના પરપ્રાંતિયો અંગેના નિવેદનને લઈ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.તેઓના નિવેદનને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટિલે ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે.
ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કાર્યકર્તાઓ સાથેની એક બેઠકમાં પરપ્રાંતીયોને લઈ આપેલા એક નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ છે. પરપ્રાંતીયો ગુજરાતમાં ભય અનુભવી રહ્યા હોવા અંગેનું રઘુ શર્માએ નિવેદન આપ્યું હતું. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપના રાજમાં બહારથી આવતા લોકો ભય અનુભવી રહ્યા છે. ગુજરાતમાં ભયમુક્ત વાતાવરણ હોવું જોઈએ. ગુજરાતની આર્થિક સ્થિતિમાં બહારના લોકોનો મોટો હાથ છે. ત્યારે રાજસ્થાન અને અન્ય પ્રદેશના લોકોને અહીં કેમ ભય અનુભવાય છે?
રઘુ શર્માના નિવેદન અંગે વળતો પ્રહાર કરતાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે શર્માના નિવેદનને ગુજરાતીઓના અપમાન સમાન ગણાવ્યું હતું અને રઘુ શર્મા માફી માગે એવી માગ કરી હતી. પાટીલે કહ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન દેશમાં સૌથી વધુ પરપ્રાંતીયોને ગુજરાતીઓએ સાચવ્યા હતા. ગુજરાતમાં કોઈપણ જાતના ડર વગર પરપ્રાંતીયો રોજગાર મેળવી રહ્યા છે. રઘુ શર્મા રાજસ્થાનથી ધારાસભ્ય અને મંત્રી હોઈ પાટીલે તેમને સવાલ કરતાં કહ્યું હતું કે રાજસ્થાનમાંથી ઉદ્યોગકારો કેમ અન્ય રાજ્યમાં જઈ રહ્યા છે એ અંગેનો શર્માએ જવાબ આપવો જોઈએ.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
ઉનાળુ વેકેશન રેલવે હાઉસફૂલ, પ્રતિદિવસ 1 લાખ યાત્રિકો ઉમટયા
19 May 2022 11:41 AM GMTવડોદરા : ઘનશ્યામ મહારાજ મંદિરના 18મા પાટોત્સવમાં પીએમ મોદી વર્ચ્યુઅલી...
19 May 2022 11:29 AM GMTઅંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ...
19 May 2022 11:21 AM GMTભરૂચ:દહેજની ભારત રસાયણ કંપનીના બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ 2 કામદારોના...
19 May 2022 11:06 AM GMTભરૂચ જિલ્લા અંધજન મંડળનું ઉત્તમ કાર્ય, પ્રજ્ઞાચક્ષુઓને રોજગારી માટે...
19 May 2022 10:41 AM GMT