Connect Gujarat
ગુજરાત

પાટણ : ધોળકડા ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નીકળી ભવ્ય શોભાયાત્રા, મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

ધોળકડા ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન, દેવી-દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા નીકળી

X

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધોળકડા ગામ ખાતે મંદિરમાં દેવી-દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

રાધનપુર તાલુકાના ધોળકડા ગામ ખાતે મંદિરમાં રાધાકૃષ્ણ, અંબે માતા, રામચંદ્ર ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. ગુજરાતના પ્રતિષ્ઠિત ભુદેવો અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં પુજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે યજ્ઞ, હવન, મહાઆરતી, ભંડારા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભગવાનના દર્શન સહિત ધાર્મિક વિધિનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

Next Story