Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : આર્મી ટ્રક, કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત

સાબરકાંઠા : આર્મી ટ્રક, કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કમાલપુર અને મામરોલીના મિત્રો રાજસ્થાનના રણુજા મંદિરે દર્શન કરી પરત ફરતા હતા, ત્યારે જોધપુર ખાતે ટ્રક, કાર અને બાઇક વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર કમાલપુરના 2 વ્યક્તિ અને મામરોલીના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, પ્રાંતિજના કમાલપુર અને મામરોલીના મિત્રો રાજસ્થાન ખાતે આવેલ રણુજા ખાતે દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે જોધપુરના બાલેસરના આગોલાઇ પાસે આર્મી ટ્રક અને સાબરકાંઠા જિલ્લાની ઇકો કાર અને બાઇક વચ્ચે ત્રિપલ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કાર અને બાઇકનો બુકડો બોલી ગયો હતો.

અકસ્માત એટલો ભંયકર હતો કે, ટ્રક પણ પલટી મારી ગઇ હતી. અકસ્માતમા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કમાલપુરના (૧) કિરણજી માધાજી મકવાણા (૨) બાલાજી કાનાજી મકવાણા (૩) અશ્વિનસિંહ પ્રભાતસિંહ મકવાણાનું ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું. તો અકસ્માતમાં આર્મીના 3 જવાનો સહિત બાઇક સવારને પણ ઈજાઓ પહોચી હતી. ઇકો કારમા સવાર અન્ય એક ઇજાગ્રસ્ત પ્રજાપતિ હરેશને પણ જીવલેણ ઈજાઓ પહોચતા જોધપુરની મથુરાબાગ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામા 3 લોકોના મોતના સમાચારને લઈને કમાલપુર અને મામરોલી સહિત પ્રાંતિજ તાલુકામા શોકનો માહોલ છવાયો હતો.

Next Story