Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : કોરોના મૃતકના પરિવારજનોને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે સાંત્વના પાઠવી, રૂ. 4 લાખ સહાય આપવા સરકારને અપીલ

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હડિયોલ, ગઢોડા અને કનીયોલ ગામે કોરોના મહામારીમાં અવસાન પામેલ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

સાબરકાંઠા : કોરોના મૃતકના પરિવારજનોને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે સાંત્વના પાઠવી, રૂ. 4 લાખ સહાય આપવા સરકારને અપીલ
X

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હડિયોલ, ગઢોડા અને કનીયોલ ગામે કોરોના મહામારીમાં અવસાન પામેલ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીમાં અવસાન પામેલ મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવશે, અને સરકારની નિષ્ફળતાના કારણે પ્રજાએ ભોગવેલી હાલાકી અને સાચી હકીકતો જનતા સમક્ષ બહાર લાવશે.

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામના 32 વર્ષીય નવયુવાનો નકુલ પટેલ અને પરેશ પ્રજાપતિનું કોરોનાના કારણે અવસાન થયું છે. સામાન્ય પરિવારને સારવાર દરમ્યાન 15થી 20 લાખનો ખર્ચ થયો છે. જોકે, તમામ પુરાવા હોવા છતા મરણના દાખલામાં કોરોનાથી મૃત્યુ થયું હોવાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, ત્યારે પરિવારજનોએ દુઃખ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, સારવાર માટે લાખો રૂપિયાની લૂંટ ચલાવાય છે અને સરકાર મોતના આંકડા છુપાવે છે. પરિવારને સાંત્વના આપી અને તેઓની રજૂઆતને વાચા આપવામાં આવશે. ભાજપના ભ્રષ્ટ શાસનમાં કોરોના મહામારીમાં લાખો લોકોના મોત, હાડમારી, આર્થિક પાયમાલી, ખેડૂતોની સમસ્યાઓ, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ-આરોગ્ય જેવી પાયાની સુવિધાના અભાવના કારણે જનતામાં આક્રોશ છે. આગામી સમયમાં જન આંદોલનો અને સંગઠનના કાર્યક્રમો થકી જનસંપર્ક અભિયાનની શરૂઆત અનુસંધાને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતીમાં વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Next Story