Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પ્રાંતિજ નગરપાલિકા દ્વારા જાહેરમાં નાખવામાં આવતો કચરો દૂર કરવા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ

સાબરકાંઠા : પ્રાંતિજ નગરપાલિકા દ્વારા જાહેરમાં નાખવામાં આવતો કચરો દૂર કરવા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાંખરીયા તળાવ અને આંગણવાડી પાસે નગરપાલિકા દ્વારા જાહેરમાં નાખવામાં આવતો કચરો દૂર કરવા પ્રાંતિજ-તલોદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પ્રાંત અધિકારીને લેખીતમાં રજૂઆત કરી હતી.

પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા પ્રાંતિજ ભાંખરીયા તળાવ અને અમીનપુર જવાના રોડ ઉપર આવેલ આંગણવાડી ગોપીનાથ સોસાયટી પાસે રહેણાંક વિસ્તાર નજીક પ્રાંતિજ ગામમાંથી ભેગો કરવામાં આવેલ કચરો જાહેરમાં નાખવામાં આવતા દુર્ગંધ તેમજ રોગચાળો ફેલાવવાની લોકોમાં દહેશત ફેલાઈ છે. ભાંખરીયા તળાવમાં નાખવામાં આવતા કચરાના કારણે તળાવનું પાણી પણ દુષિત થવાની શક્યતા છે.

જોકે, તળાવમાં જ કચરો ઠલવાતા તળાવ પણ પુરાતું જાય છે, ત્યારે પ્રાંતિજ-તલોદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા બન્ને જગ્યાએ ઠાલવવામાં આવતો કચરો દૂર કરવા પ્રાંત અધિકારી સોનલબા પઢેરીયાને લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી.

Next Story