ઉનાળુ વેકેશન રેલવે હાઉસફૂલ, પ્રતિદિવસ 1 લાખ યાત્રિકો ઉમટયા
લોકોને કંફર્મ ટીકીટ ન મળતા ક્યાંક તો મુસાફરી ટાળવી પડી રહી છે અથવા તો પેનલ્ટી ચૂકવીને મુસાફરી કરવી પડી રહી છે.

રાજ્યમાં ઉનાળા વેકેશનમાં પ્રવાસીઓ વધતા તમામ ટ્રેનોમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. લોકોને કંફર્મ ટીકીટ ન મળતા ક્યાંક તો મુસાફરી ટાળવી પડી રહી છે અથવા તો પેનલ્ટી ચૂકવીને મુસાફરી કરવી પડી રહી છે. હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે તો ચારધામ યાત્રામાં પણ જવા મોટી સંખ્યામાં લોકો ટ્રેનની મુસાફરી કરી રહ્યા છે અમદાવાદ રેલવે સ્ટેશને હજારો યાત્રિકો પહોંચી રહ્યા છે
સામાન્ય દિવસોમાં અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર દૈનિક 60-70 હજાર મુસાફરો અવરજવર કરે છે. પણ વેકેશનને કારણે હાલ દૈનિક 1 લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે. મોટાભાગના લોકોને કફર્મ ટિકિટ ન મળતા સેકન્ડ સેટિંગ એટલે કે જનરલ કોચમાં મુસાફરી કરવી પડી રહી છે. વળી, કોરોના પહેલા જનરલ કોચમાં મુસાફરી માટે તરત સ્ટેશનેથી ટીકીટ લઇ મુસાફરી થઈ શક્તિ હતી પણ હાલ અહીં પણ ફરજીયાત રિઝર્વેશન લાગુ કરવાને કારણે લોકો પરેશાન થવું પડી રહ્યું છે.
જો કે બીજી તરફ રિઝર્વેશન માટે આવતા લોકો માટે રેલવે પ્રશાસન દ્વારા સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહીં તત્કાલ રિઝર્વેશન માટે અલગથી સમય ફાળવી ટોકન અપાઈ રહ્યા છે. જેથી ગરમીમાં લોકોની ભીડ થવાની મુશ્કેલીઓ ઉભી ન થાય.રેલવે PRO નું પણ કહેવું છે કે હાલ તમામ ટ્રેનોમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. લોકોની ભીડ જોઈ ચાર ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવ્યા છે. આ સાથે ઉત્તર ભારત જનારી 4 સ્પેશિયલ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે.છતાં ભીડ વધી રહી છે ખાસ કરીને ચારધામ યાત્રા માટે સૌથી વધારે બુકિંગ થઇ રહ્યું છે
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી...
1 July 2022 12:34 AM GMTભરૂચ : રથયાત્રા રૂટ પર પોલીસે યોજયું રિહર્શલ, આવતીકાલે 4 સ્થળે યોજાશે ...
30 Jun 2022 4:56 PM GMTરાજયમાં આજે 547 નવા પોઝિટિવ કેસ નોધાયા, 419 દર્દીઓ થયા સાજા
30 Jun 2022 4:47 PM GMTઅમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને,...
30 Jun 2022 2:11 PM GMTઅમદાવાદ: ભગવાન જગન્નાથ માટે મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ,જુઓ શું છે...
30 Jun 2022 1:10 PM GMT