સુરેન્દ્રનગર : ઊડતી જીવાતનો ત્રાસ વધ્યો, પાલિકા દ્વારા ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી શરૂ...
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં વાતાવરણમાં એક તરફી પલટો આવ્યો છે. ગરમીનું પ્રમાણ વધતું રહ્યું છે
BY Connect Gujarat Desk19 Feb 2022 9:38 AM GMT
X
Connect Gujarat Desk19 Feb 2022 9:38 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં વાતાવરણમાં એક તરફી પલટો આવ્યો છે. ગરમીનું પ્રમાણ વધતું રહ્યું છે,અને ઠંડીનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે, ત્યારે મિશ્ર વાતાવરણનો અહેસાસ જિલ્લાવાસીઓ કરી રહ્યા છે, તેવા સંજોગોમાં છેલ્લા ઘણા દિવસોથી ઊડતી જીવાતનો ત્રાસ ખૂબ વધ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉડતી ઊડતી જીવાત વાહનચાલકોની આંખોમાં જઈ રહી છે. ખાસ કરીને જાહેર રોડ રસ્તા ઉપર વહેલી સવારે અને મોડી સાંજે આવી ઊડતી જીવાતો ભારે હેરાનગતિ સર્જી રહી છે, ત્યારે આ મામલે અવાર-નવાર રજૂઆતો બાદ જિલ્લાના જોરવરનગર, રતનપર, વઢવાણ અને ધાંગધ્રા સહિતના ગામો ઉપરાંત શહેરી વિસ્તારમાં વહેલી સવારથી જ પાલિકા દ્વારા ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ દવાનો છંટકાવ હાથ ધરીને આ ઊડતી જીવાતનો ઉપદ્રવ ઘટે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
Next Story