Connect Gujarat
ગુજરાત

પ્રાંતિજના ગલેચી વિસ્તારમાથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ

પ્રાંતિજના ગલેચી વિસ્તારમાથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તથા વડવાસા પાટીયા પાસેથી મૃત હાલતમા બે મળી આવતા પોલીસ ને જાણ કરાઈ હતી તો પોલીસે બન્ને મૃતકો ને પ્રાંતિજ સિવિલ ખાતે ખસેડાયા હતા અને આગળ ની તપાસ હાથ ધરી હતી॰

પ્રાંતિજના ગલેચી વિસ્તારમા આવેલ બસસ્ટેશનમા વહેલી સવારે એક યુવાન મૃત હાલતમા મળી આવતા આજુ બાજુ માથી લોકો દોડી આવ્યા હતા અને મૃતક યુવક ની ઓળખ ના થતા આ વિસ્તાર ના મહિલા કોર્પોરેટર ના પતિ મહેશભાઈ દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરાઈ હતી તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ માનસિંહ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક ની લાશ ને પ્રાંતિજ સિવિલ ખાતે મોકલી આપી હતી અને તેના વાલીવારસ દાર ની શોધખોળ હાથ ધરવામા આવી હતી જેમા મૃતક યુવક પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેન્ડ ટેકરા વિસ્તાર નો ટીનુસિંહ અનુપસિંહ રાઠોડ હોવાનુ જાણવા મળ્યુ હતુ અને કુદરતી રીતે મોત થયુ હોય તેવુ જાણ મા મલ્યુ હતુ તો પ્રાંતિજ ના વડવાસા પાટીયા પાસેથી મૃત હાલત મા મળી આવેલ આધેડ ની ઓળખ થઈ નહતી પણ આજુબાજુ હોટલો તથા રોજીદુ અવરજવર કરતા લોકોએ પાગલ હોવાનુ જણાવ્યુ હતુ અને થોડાક દિવસો થી અહી અવરનવર કરતો હતો અને હિન્દી ભાષા બોલતો હતો જેથી બહાર ના રાજય નો હોય તેનુ પણ પ્રાથમિક તપાસ મા કુદરતી રીતે મોત નિપજયુ હોવાનુ જાણવા મળ્યું હતું

Next Story