રાજ્યમાં ફરી નવા કેસનો આંકડો 200ને પાર, 216 દર્દી થયા સાજા
રાજ્યમાં ફરી નવા કેસનો આંકડો 200ને પાર થયો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 214 નવા કેસ નોંધાયા
BY Connect Gujarat Desk6 Sep 2022 5:05 PM GMT
X
Connect Gujarat Desk6 Sep 2022 5:05 PM GMT
રાજ્યમાં ફરી નવા કેસનો આંકડો 200ને પાર થયો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 214 નવા કેસ નોંધાયા છે અને 216 દર્દી સાજા થયા છે. જ્યારે 2 દિવસ બાદ રાજ્યમાં એક દર્દીનું મોત થયું છે. જે જામનગર જિલ્લામાં નોઁધાયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.03 ટકા પર સ્થિર છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 71 હજાર 392ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 11 હજાર 17 પર પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 59 હજાર 35 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 1340 એક્ટિવ કેસ છે, 4 દર્દી વેન્ટિલેટર પર છે અને 1336 દર્દીઓની હાલત સ્થિર છે.
Next Story