Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે 405 નવા પોઝિટિવ કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 10 હજારને પાર પહોચ્યો

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 405 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મોત થયા છે.

રાજ્યમાં આજે 405 નવા પોઝિટિવ કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 10 હજારને પાર પહોચ્યો
X

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 405 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજારને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10003 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 1106 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,93,131 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 1106 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.62 ટકા છે. અત્યાર સુધીમાં 2,05,58,024 વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આજે કુલ 2,93,131 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

રાજ્યમાં અત્યાર સુધી 8,01,181 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છેરાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 9542 પર પહોંચ્યો છે. જેમાંથી 223 દર્દી વેન્ટિલેટર પર અને 9319 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.62 ટકા છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં સુરત કોર્પોરેશનમાં 54, અમદાવાદમાં કોર્પોરેશનમાં 47, વડોદરા કોર્પોરેશનમાં 37, સુરત 24, વડોદરા 24, ગીર સોમનાથમાં 20, રાજકોટ કોર્પોરેશન 19, જૂનાગઢમાં 18, પોરબંદરમાં 16, રાજકોટમાં 13, અમરેલી 12, જૂનાગઢ કોર્પોરેશન 12, ભરુચ 9, નવસારી 9, બનાસકાંઠા 8, ગાંધીનગર કોર્પોરેશનમાં 8, જામનગર કોર્પોરેશન 8, ખેડા, વલસાડમાં 8-8, પંચમહાલમાં 7, આણંદમાં 6, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર અને કચ્છમાં 5-5, સાબરકાંઠા અને તાપીમાં 4-4, જામનગર 3, મહીસાગરમાં 3, અરવલ્લી 2, ભાવનગર 2, ભાવનગર કોર્પોરેશન 2, મોરબી 2 અને નર્મદામાં 1 સહિત કુલ 405 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 1, સુરત 1, રાજકોટ, ભરૂચમાં 1-1 દર્દીઓના મોત થયા છે.

Next Story