વલસાડ : યુવાધનમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવા અનાવિલ પરિવાર-યુવા પાંખ દ્વારા ટી-20 ટુર્નામેન્ટ યોજાય
અનાવિલ યુવાધનમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે અનાવિલ પરિવાર અને અનાવિલ પરિવાર યુવા પાંખ, વલસાડ દ્વારા સ્વર્ગસ્થ ખંડુભાઈ રણછોડજી દેસાઇની ૫૦મી પુણ્યતિથી નિમિત્તે AP T-20 Bash 2021નું આયોજન કરવામાં આવ્યું હતું.
અનાવિલ યુવાધનમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે અનાવિલ પરિવાર અને અનાવિલ પરિવાર યુવા પાંખ, વલસાડ દ્વારા સ્વર્ગસ્થ ખંડુભાઈ રણછોડજી દેસાઇની ૫૦મી પુણ્યતિથી નિમિત્તે AP T-20 Bash 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. જે વલસાડ ખાતેની પ્રથમ લેધર બોલ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ હતી.
આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર વલસાડનાં સંતો, અનાવિલ પરિવાર વલસાડના પ્રમુખ ભીખુ દેસાઈ, ઉપપ્રમુખ હસમુખ દેસાઈ તથા યુવા પાંખના પ્રમુખ ભાષિન દેસાઈના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદથી મુંબઇ સુધીના અનાવિલ યુવા ખેલાડીઓએ ભાગ લઇ ઉત્કૃષ્ટ રમત દાખવી હતી. આ ટુર્નામેન્ટમાં એ.કે. રેન્જર્સ અને સંવેદના સ્ટ્રાઈકર્સ નામની બે ટીમો ફાઇનલ મેચ માટે ક્વોલિફાઇ થઇ હતી. જેમાં જિમીત દેસાઈના નેતૃત્વમાં એ.કે.રેન્જર્સનો ભવ્ય વિજય થયો હતો. ફાઇનલમાં મેન ઓફ ધ મેચ જય દેસાઈ, AP T-20 Bash 2021ના મેન ઓફ ધ સિરીઝ હર્ષ દેસાઈ, બેસ્ટ બોલર અક્ષિત દેસાઈ, બેસ્ટ ફિલ્ડર મિતુલ દેસાઈ, બેસ્ટ બેટ્સમેન હર્ષ દેસાઈ તથા ઇમર્જિંન્ગ પ્લેયર જેનીલ દેસાઈને પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં અનાવિલ પરિવારનાં તમામ સભ્યોએ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.