Connect Gujarat
ગુજરાત

વલસાડ : માર્ગ મરામત મહાઅભિયાન અંતર્ગત બિસ્માર માર્ગોનું સમારકામ હાથ ધરાયું...

૧લી ઓક્ટોમ્બરથી ૧૦મી ઓક્ટોમ્બર સુધી માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે

વલસાડ : માર્ગ મરામત મહાઅભિયાન અંતર્ગત બિસ્માર માર્ગોનું સમારકામ હાથ ધરાયું...
X

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૧લી ઓક્ટોમ્બરથી ૧૦મી ઓક્ટોમ્બર સુધી માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે.વલસાડ જિલ્લામાં કુલ ૪૩૦૪.૧૦ કિમીના ૧૮૨૫ રસ્તાઓ પૈકી જિલ્લામાં કુલ ૩૯૨ રસ્તાઓના મરામત અંગેની ફરીયાદો મળી હતી. જે પૈકી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૩૭૦ માર્ગોના સુધારણાનું કાર્ય હાથ ધરાયું છે. જેની વિગતો જોઈએ તો પંચાયત વિભાગ વલસાડને તા. ૨૨/૦૯/૨૦૨૧થી તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં કુલ ૩૯૨ માર્ગોના મરામતની રજુઆતો મળી હતી.

આ ફરિયાદોના નિકાલ માટે જિલ્લા પંચાયત વલસાડ દ્વારા તા. ૦૧/૧૦/૨૦૨૧થી જિલ્લાના માર્ગોના સુધારણા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ ૩૭૦ માર્ગોની સુધારણા કરવામાં આવી છે. આમ જિલ્લામાં માર્ગ સુધારણાની ફરિયાદોની નિકાલ કરી ૯૪.૩૮ ટકા જેટલી કામગીરી કરવામાં આવી છે.

Next Story