ભરૂચ જીલ્લાનાં નર્મદા તટે શુકલતીર્થ મહોત્સવ ઉજવાશે.
BY Connect Gujarat17 March 2016 2:31 AM GMT
X
Connect Gujarat17 March 2016 2:31 AM GMT
ભરૂચ જીલ્લાનાં નર્મદા નદી કિનારે વસેલા ધાર્મિક મહાત્મય ધરાવતા શુકલતીર્થ ખાતે તા ૨૭ અને ૨૮ માર્ચ બે દિવસીય શુકલતીર્થ મહોત્સવનું આયોજન જીલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવ્યુ છે. જે સંદર્ભેની ચર્ચા વિચારણ કરવા અર્થે ભરૂચ જીલ્લા નિવાસી અધિક કલેકટર ડિ.બી.રહેવર ની અધ્યક્ષતા હેઠળ એક બેઠક મળી હતી. જેમાં મામલતદાર, જીલ્લા રમતગમત અધિકારી, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
તા – ૨૭ અને ૨૮મી માર્ચની રાત્રિએ શુકલતીર્થ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ૨૭મીની રાત્રિએ ઉદઘાટન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.
Next Story