ભરૂચ વાલ્મીકી સમાજ દ્વારા નગર પાલિકાના મુખ્ય અધિકારીને રોજમદારો ની ભરતી અંગે રજુઆત કરાઈ.
BY Connect Gujarat21 March 2016 12:30 PM GMT
X
Connect Gujarat21 March 2016 12:30 PM GMT
જુના ભરૂચના નગર પાલિકા વિસ્તારમાં રોજમદારો ની ભરતી અંગે અખિલ ગુજરાત વાલ્મીકી સમાજ સેવા વિકાસ મંડળ દ્વારા પાલિકા ના મુખ્ય અધિકારીને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.જેમાં આ મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છેકે નગર પાલિકાની હદમાં આવતા જુના ભરૂચ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો તો ઉઘરાવવા માં આવેછે પરંતુ રોજમદારો ઓછા હોય દુકાન તેમજ ઘર માંથી નીકળતા કચરો લઇ જવામાં આવતો નથી.તેથી રોજમદારોની ભરતી કરવા અંગેની તેમજ આ અંગે નગરપાલિકા ની સામાન્ય સભા માં ઠરાવ સંદર્ભે રજૂઆત કરી હતી.
Next Story