કોરોના બાદ વધુ એક ગંભીર બીમારીથી ફફડાટ,પુણેમાં ગુઈલેન બેરે સિન્ડ્રોમની 100થી વધુ લોકોને અસર

 ગુઈલેન બેર સિન્ડ્રોમ એ ઓટોઇમ્યુન ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આ બીમારીમાં આપણી રોગપ્રતિકારક શક્તિ પોતાની જ નર્વ પર હુમલો કરે છે. આના કારણે લોકોને ઊઠવામાં, બેસવામાં અને ચાલવામાં પણ તકલીફ પડે છે

New Update
GBS-Disease

મહારાષ્ટ્રના પૂણેમાં એક અઠવાડિયામાં ગુઈલેન બેરે સિન્ડ્રોમ (GBS) નામની બીમારીની 100થી વધુ લોકોને અસર થઈ છે.જ્યારે 16 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે.સોલાપુરમાં GBSથી એક દર્દીના મૃત્યુના અહેવાલો પણ આવ્યા છે. ગુઈલેન બેરે સિન્ડ્રોમ શું છે તે જાણવું મહત્વ પૂર્ણ છે. તે કેટલું ખતરનાક છેતેના લક્ષણો શું છે અને તેનાથી બચવાના કયા રસ્તાઓ છે.

Advertisment

જાણકારી મળ્યા અનુસારગુઈલેન બેર સિન્ડ્રોમ એ ઓટોઇમ્યુન ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આ બીમારીમાં આપણી રોગપ્રતિકારક શક્તિ પોતાની જ નર્વ પર હુમલો કરે છે. આના કારણે લોકોને ઊઠવામાંબેસવામાં અને ચાલવામાં પણ તકલીફ પડે છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. લકવાની સમસ્યા પણ આ રોગનું એક લક્ષણ છે.

આપણું નર્વસ સિસ્ટમ બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહેવામાં આવે છેજેમાં કરોડરજ્જુ અને મગજનો સમાવેશ થાય છેજ્યારે બીજો ભાગ પેરિફેરલ નર્વસ સિસ્ટમ છેજેમાં સમગ્ર શરીરની અન્ય બધી ચેતાઓનો સમાવેશ થાય છે.ગુઈલેન બેરે સિન્ડ્રોમમાં રોગપ્રતિકારક શક્તિ નર્વસ સિસ્ટમના બીજા ભાગ પરએટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે.

ગુઈલેન બેર સિન્ડ્રોમની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વૈશ્વિક સ્તરેતેનાથી પ્રભાવિત લગભગ 7.5% લોકો મૃત્યુ પામે છે. ગુઈલેન બેરે સિન્ડ્રોમ એક દુર્લભ રોગ છેકારણ કે દર વર્ષે આ રોગ એક લાખ લોકોમાંથી એક કે બે લોકોમાં જોવા મળે છે. આ રોગ અમેરિકાના પૂર્વ પ્રમુખ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટનું મૃત્યુ પણ કારણ બન્યો હતો. ખરેખર આ રોગને કારણે રૂઝવેલ્ટ લકવાગ્રસ્ત થઈ ગયા હતા. તેની કમર નીચેનો ભાગ કામ કરતો બંધ થઈ ગયો હતો.

પરંતુ તે સમયે એવું કહેવામાં આવતું હતું કે રૂઝવેલ્ટનું મૃત્યુ પોલિયોથી થયું હતું. પરંતુ પાછળથી થયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે તેમના મૃત્યુનું કારણ ગુઈલેન બેરે સિન્ડ્રોમ હતું. અહેવાલો અનુસાર, 2023માં પેરુમાં ગુઈલેન બેરે સિન્ડ્રોમે તબાહી મચાવી હતી. આનો સામનો કરવા માટેત્યાંની સરકારે 90 દિવસ માટે આરોગ્ય ઈમરજન્સી લાદવી પડી હતી.

ગુઈલેન બેરે સિન્ડ્રોમ સામાન્ય રીતે હાથ અને પગમાં કળતર અને નબળાઇથી શરૂ થાય છે. આ લક્ષણો ઝડપથી ફેલાઈ શકે છે અને લકવોમાં ફેરવાઈ શકે છે. તેના શરૂઆતના લક્ષણો આ હોઈ શકે છે.

Latest Stories