ગુજરાતમાં આજે 1009 નવા પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત
BY Connect Gujarat3 Aug 2020 4:28 PM GMT
X
Connect Gujarat3 Aug 2020 4:28 PM GMT
ગુજરાત રાજ્યમાં કોરોના આજે વધુ 1009 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. સાથે વધુ 22 દર્દીઓના કોરોના કારણે મોત થયા છે. રાજ્યમાં આજે 974 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમા કુલ સંક્રમિત કેસની સંખ્યા 64,684 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 2509 થયો છે. રાજ્યમાં હાલ 14,614 એક્ટિવ કેસ છે, જ્યારે 47,561 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે 1009 નોંધેલ કેસ પૈકી સુરત 258, અમદાવાદ 151,વડોદરા 98,રાજકોટ 85,ભાવનગર 47,જામનગર 34,દાહોદ 29,મહેસાણા 26,ગાંધીનગર 25,પંચમહાલ 22,જૂનાગઢ 21,ખેડા 20,અમરેલી 19,ભરૂચ 18,કચ્છ 17,બોટાદ 16,સાબરકાંઠા 15,મોરબી 14,સુરેન્દ્રનગર 13,નવસારી 12,આણંદ 11,બનાસકાંઠા 10,નર્મદા 8,મહીસાગર 7,ગીરસોમનાથ 6,દ્વારકા 5,પાટણ-પોરબંદર 4,ડાંગ-વલસાડ 3,તાપી 2.અન્ય રાજ્યમાં 6 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં આજે 22 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં-6, સુરતમાં-11, ભાવનગર-1, જૂનાગઢ-1, કચ્છ-1, રાજકોટ-1, વડોદરા-1 મોત થયું છે.
Next Story