Connect Gujarat
દેશ

લોકડાઉનમાં ટીવી એકટર કરણવીર બોહરાએ રમઝાનમાં કરી દેશ માટે દુઆ, પોતાની નાની દીકરીઓને અઝાનનો મતલબ સમજાવ્યો

લોકડાઉનમાં ટીવી એકટર કરણવીર બોહરાએ રમઝાનમાં કરી દેશ માટે દુઆ, પોતાની નાની દીકરીઓને અઝાનનો મતલબ સમજાવ્યો
X

ટેલીવિઝન સ્ટાર કરણવીર બોહરાએ પોતાની જુડવા દિકરીઓ બેલા અને વિએનાને અઝાનનો મતલબ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કરણવીરે સોશિયલ મીડિયા પર એક રોચક વીડિયો શેર કર્યો છે, જેમાં તેની દિકરીઓ અઝાનને સાંભળીને ઉત્સુક જોવા મળી રહી હતી અને દરરોજ અઝાનનો અવાજ સાંભળે છે અને જ્યારે મારી બાળકીઓએ પહેલીવાર સાંભળી તો પૂછ્યું કે, આ શું છે? અમે કહ્યું તેને અઝાન કહે છે અને તેના પાંચ વાર વાગવાનું મહત્વ સમજાવ્યું હતું... તો આવો આપણે બધા દુનિયાની સલામતી માટે દુઆ કરીએ.

https://www.instagram.com/p/B_ZYrKhghIQ/?utm_source=ig_web_copy_link

રમઝાનના પાક મહીનાની શરુઆતમાં કરણવીર અને તેની પત્નીએ એક્તાનો સંદેશો આપ્યો હતો. જ્યાં કરણવીરે લતા મંગેશકરના 'અલ્લાગ તેરો નામ, ઇશ્વર તેરો નામ' ગીતથી સંદેશો આપ્યો તો તેની પત્નીએ કહ્યું- પ્રેમ જ તેનો ધર્મ છે.

https://www.instagram.com/p/B_Z_Z1yAoHc/?utm_source=ig_web_copy_link

આ વચ્ચે, ડિજિટલ

પ્લેટફોર્મનો સારી રીતો ઉપયોગ કરતા બોહરા ફન અને જાણકારીથી ભરેલા 'લૉકડાઉન

વિથ કેવી' નામની

સીરિઝ પણ ચલાવે છે.

Next Story