Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં કોરોનાના 361 નવા પોઝિટવ કેસ નોંધાયા,27 દર્દીઓનાં મોત

ગુજરાત રાજ્યમાં કોરોનાના 361 નવા પોઝિટવ કેસ નોંધાયા,27 દર્દીઓનાં મોત
X

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 361 નવા પોઝિટવ કેસ નોંધાયા છે. અને વધુ 27 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 503 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 14829 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 915 થયો છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 48.13 ટકા થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.

મંગળવારે કોરોનાના નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 251, સુરત 36, વડોદરા 31, સાબરકાંઠા-8, ગાંધીનગર-7, જામનગર-5, બનાસકાંઠા-3, મહીસાગર-3, વલસાડ -3, ભાવનગર-2, અરવલ્લી-2, કચ્છ-2, નવસારી-2, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ,અમરેલી,પાટણ અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 27 લોકોનાં મોત થયા છે. આજે કોરોનાથી અમદાવાદમાં 23, ખેડા, પંચમહાલ,પાટણ અને સુરતમાં 1-1 મોત થયું છે.અત્યાર સુધીમાં કુલ 7137 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 189313 ટેસ્ટ થયા જેમાંથી 14829 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

Next Story