કોરોના મહામારી સામે લડવા ભારત અને ઇઝરાઇલ સંયુક્ત રૂપે સંશોધન કરશે
BY Connect Gujarat26 May 2020 6:27 AM GMT
X
Connect Gujarat26 May 2020 6:27 AM GMT
કોરોના વાઈરસની તપાસને ઝડપી બનાવવા ભારત અને ઇઝરાઇલ સાથે મળીને સંશોધન અને વિકાસ કરી રહ્યા છે. ઇઝરાઇલ એમ્બેસીના પ્રવક્તાએ ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
નવી દિલ્હી: ઇઝરાઈના દૂતાવાસે કહ્યું કે, ભારત અને ઇઝરાઇલ સંયુક્તપણે કોવિડ -19 રોગચાળા વચ્ચે કોરોના વાયરસની તપાસ ઝડપી બનાવવા સંશોધન અને વિકાસ કરશે. પ્રધાન વૈજ્ઞાનિક સલાહકારની કચેરીએ જણાવ્યું હતું કે, બંને પક્ષોએ કોરોના વાયરસની તપાસ માટે વિસ્તૃત ડેટા અને કૃત્રિમ બુદ્ધિના આધારે સંયુક્ત સંશોધન અને વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી.
ભારતમાં ઇઝરાઇલી રાજદૂત રોન મલાકાએ ટ્વિટ કર્યું છે કે, મને ગર્વ છે કે ભારત અને ઇઝરાઇલના નિષ્ણાંતો સાથે મળીને સમગ્ર વિશ્વ માટે કોરોના મહામારીના સમાધાન શોધવા, ખાસ કરીને કોવિડ -19 મહામારી સામે લડશે.
Next Story