ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવી,2-1થી સીરિઝ પોતાના નામે કરી
BY Connect Gujarat19 Jan 2020 4:17 PM GMT
X
Connect Gujarat19 Jan 2020 4:17 PM GMT
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બેંગલુરૂમાં રમાઈ રેહેલી અંતિમ વનડેમાં 7 વિકેટથી હરાવવા સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી પર 2-1થી જીત મેળવી સિરીઝ પોતાના નામે કરી છે.
બેંગલુરૂમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 286 રન બનાવ્યા હતા. ભારતે સિરીઝ જીતવા 287 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.તો જવાબમાં ટીમ ઈન્ડિયાએ 47.3 ઓવરમાં લક્ષ્યાંક મેળવી સિરીઝ જીતી લીધી હતી.જેમાં રોહિત શર્માએ તેના કરિયરની 29મી સેન્ચુરી ફટકારતા 128 બોલમાં 119 રન કર્યા. જ્યારે વિરાટ કોહલીએ 91 બોલમાં 89 રન બનાવ્યા હતા.
આ મેચમાં ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ અને કુલદીપ યાદવ અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ ઝડપી હતી.આ પહેલા ત્રીજી અને નિર્ણાયક વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો.
Next Story