Connect Gujarat
Featured

સમગ્ર દેશમાં લોકડાઉન, ભારતમાં કોરોના પોઝિટિવની સંખ્યા 560ને પાર

સમગ્ર દેશમાં લોકડાઉન, ભારતમાં કોરોના પોઝિટિવની સંખ્યા 560ને પાર
X

કોરોના વાઇરસનો કહેર વિશ્વમાં યથાવત છે. 150થી વધુ દેશ આ વાઇરસના ઝપેટમાં આવ્યાં છે. દુનિયામાં આ વાઇરસના કહેરના કારણે 18,907 લોકોના મોત થયા છે. ભારતમાં પણ કોરોના વાઇરસના 562 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ભારતમાં કોરોનાના કારણે 11 લોકોનો મોત થયાં છે. PM મોદીએ મંગળવારે સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે.

કોરોના વાઇરસનો ભારતમાં કહેર યથાવત છે. દેશમાં 562 કેસ નોંધાયા છે. બુધવારે કોરોના વાઇરસના કારણે તમિલનાડુમાં એક વ્યકિતનું મોત થયું છે. PM મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જે 21 એપ્રિલ સુધી લાગુ રહેશે.આ સુવિધાઓ શરૂ રહેશેલોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓ શરુ રહેશે. શાકભાજી, રાશન, દવાઓ, ફૂટની દુકાન, બેંક, ઈશોરેન્સની ઓફિસ અને ATM પણ ચાલુ રહેશે. પેટ્રોલ પંપ, ગેસ, રિટેલ શરુ રહશે.

હોસ્પિટલ, ક્લીનિક, નિર્સિગ હોમ પણ ચાલુ રહેશે. પ્રિન્ટ અને ઈલેક્ટોનિક મીડિયાની ઓફિસ પણ ચાલુ રહેશે. ઈન્ટરનેસ બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસ શરુ રહેશે.લોકડાઉનના કારણે બંધલોકડાઉન દરમિયાન સરકારી અને પ્રાઇવેટ ઓફિસ બંધ રહેશે. રેલવે હવાઇ અને રોડવેઝની સુવાઓ નહીં મળે. મોલ, હોલ, જિમ, સ્પા, સ્પોટ્સ ક્લબ બંઘ રહેશે. બધા રેસ્ટોરેંટ અને દુકાનો બંધ રહશે. ધાર્મિક સ્થળ પણ બંધ રહેશે. સ્કૂલ, કોલેજ બંધ, ફેક્ટરી, વર્કશોપ, અઠવાડીયક બજાર પણ બંધ રહેશે.

કોરોનાની સંખ્યા રાજ્યો પ્રમાણે :

  • આંધ પ્રદેશ-7
  • બિહાર-4
  • છત્તીસગઢ-6
  • દિલ્હી-29
  • ગુજરાત-35
  • હરિયાણા-30
  • હિમાચલ પ્રદેશ-2
  • જમ્મુ કાશ્મીર-7
  • કર્ણાટક-41
  • કેરળ-105
  • લદાખ-23
  • મધ્ય પ્રદેશ-9
  • મહારાષ્ટ્ર-107
  • મણિપુર-1
  • ઓડિશા-2
  • પંજાબ-29
  • રાજસ્થાન-32
  • તમિલનાડુ-18
  • તેલંગાણા-39
  • ઉત્તર પ્રદેશ-35
  • ઉત્તરખંડ-5
  • પશ્વિમ બંગાળ-9

કોરોનાથી થયેલા મોતની સંખ્યા:

  • ગુજરાત- 1
  • મહારાષ્ટ્ર-3
  • દિલ્હી-1
  • કર્ણાટક-1
  • પંજાબ-1
  • બિહાર-1
  • પશ્ચિમ બંગાળ-1
  • તમિલનાડુ-1

કોરોના વાઇરસના કારણે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશમાં 25 માર્ચથી ઘરેલું ફ્લાઈટ્સ પર રોક લગાવી છે. નવા આદેશ જાહેર નહી થાય ત્યાં સુધી રોક લાગુ રહેશે. ભારતે રવિવારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર એક અઠવાડીયા માટે રોક લગાવી હતી.

Next Story