Connect Gujarat
દેશ

જાહેરાત બાબતે અક્ષય કુમાર બાદ કરીના કપૂર ખાન ટ્રોલર્સના નિશાને,વાંચો કઈ એડથી યુઝર્સ ભડક્યા

એક્ટ્રેસ એક લોકપ્રિય જ્વેલરી બ્રાન્ડ 'માલાબાર ગ્રુપ' સાથે જોડાયેલી એક જાહેરાતને લઈને વિવાદોમાં ઘેરાઈ ગઈ છે.

જાહેરાત બાબતે અક્ષય કુમાર બાદ કરીના કપૂર ખાન ટ્રોલર્સના નિશાને,વાંચો કઈ એડથી યુઝર્સ ભડક્યા
X

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન એક વખત ફરી ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. આ વખતે એક્ટ્રેસ એક લોકપ્રિય જ્વેલરી બ્રાન્ડ 'માલાબાર ગ્રુપ' સાથે જોડાયેલી એક જાહેરાતને લઈને વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. હકીકતે અખાત્રીના શુભ અવસર માટે જાહેર થયેલી આ જાહેરાતમાં એક્ટ્રેસના માથા પરથી ચાંદલો ગાયબ છે. આ વાત સોશિયલ મીડિયા યુઝર્સને નથી પસંદ આવી રહી અને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. યુઝર્સે જ્વેલરી બ્રાન્ડના માલિક એમ પી અહમદને પણ લપેટામાં લઈને નારાજગી વ્યક્ત કરતા સવાલ કર્યો છે કે આખરે આ જાહેરાત કયા વર્ગને ટાર્ગેટ કરતા જાહેર કરવામાં આવી છે.

આ વચ્ચે ટ્વીટર પર #Boycoott_MalabarGold ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો સતત પોતાની પ્રતિક્રિયા આપી પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. મલાબાર ગ્રુપની જાહેરાતમાં ચાંદલો લગાવ્યા વગર કરીના કપૂર ખાનને જોયા બાદ ઈન્ટરનેટની પબ્લિક ભડકી ઉઠી છે. તેની સાથે જ લોોક માલાબાર ગોલ્ડના બહિષ્કારની માંગ કરી રહ્યા છે. ટ્વીટર પર હેશટેગ #Boycoott_MalabarGold અને #No_Bindi_No_Businessથી પ્રતિક્રિયાઓનું પુર આવી ગયું છે. એક યુઝરે ટ્વીટ કરતા લખ્યું છે.'તથાકથિત ધ રિસ્પોન્સિબલ જ્વેલર'એ અખાત્રીજ પર ચાંદલા વગર કરીના કપૂરની જાહેરાત જાહેર કરી છે. શું તે હિન્દૂ સંસ્કૃતિની ચિંતા કરે છે? તેની સાથે જ યુઝર્સે લખ્યું છે ચાંદલો નહીં, તો કોઈ બિઝનેસ નહીં. હું માલાબાર ગોલ્ડના બહિષ્કારની માંગ કરૂ છું.

Next Story