Connect Gujarat
દેશ

દેશમાં ઓમિક્રોન વાયરસના વધતાં ખતરા વચ્ચે પી..એમ.મોદીએ તાત્કાલિક બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક

દેશમાં ઓમિક્રોન વાયરસના વધતાં ખતરા વચ્ચે પી..એમ.મોદીએ તાત્કાલિક બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક
X

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંત્રી પરિષદ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે.આ બેઠક સાંજે 4 વાગે મળે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં તમામ મંત્રીઓ હાજરી આપશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સમય દરમિયાન પીએમ આગામી વર્ષમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા કરશે અને ઓમિક્રોન સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરશે. આ પહેલા પણ પીએમ મોદીએ ગયા ગુરુવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં પીએમએ અધિકારીઓને વધુ સતર્ક રહેવાની સલાહ આપી હતી.

PM Modi એ અધિકારીઓને સૂચના આપી હતી કે ડેલ્ટા કરતા ત્રણ ગણા વધુ સંક્રમણ ધરાવતા ઓમિક્રોન સાથે વ્યવહાર કરવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ અને જિલ્લા અને તાલુકા સ્તરે પણ તકેદારી જાળવવી જોઈએ. ઓમિક્રોનના કેસોને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રન્ટ લાઇન વર્કર્સ અને વૃદ્ધ લોકો માટે બુસ્ટર ડોઝની જાહેરાત કરી છે. આ પ્રિકોશન ડોઝ 10 જાન્યુઆરીથી આપવાનું શરૂ થશે. હવે 15 થી 18 વર્ષની વયના કિશોરો માટે પણ વેક્સિનને મંજૂર કરવામાં આવી હોવાથી તેઓનું વેકસીનેશન પણ શરૂ થશે.

Next Story