Connect Gujarat
દેશ

10.18 કલાકે ભારત બન્યું ગણતંત્ર, જાણો કેવો રહ્યો દેશનો પ્રથમ ગણતંત્ર દિવસ…

તા. 26 જાન્યુઆરી 1950ના રોજ સવારે 10.18 વાગ્યે ભારત પ્રજાસત્તાક બન્યું.

10.18 કલાકે ભારત બન્યું ગણતંત્ર, જાણો કેવો રહ્યો દેશનો પ્રથમ ગણતંત્ર દિવસ…
X

તા. 26 જાન્યુઆરી 1950ના રોજ સવારે 10.18 વાગ્યે ભારત પ્રજાસત્તાક બન્યું. બરાબર 6 મિનિટ પછી એટલે કે 10.24 મિનિટે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પદના શપથ લીધા. તત્કાલિન ચીફ જસ્ટિસ હીરાલાલ કાણિયાએ તેમને શપથ લેવડાવ્યા હતા. આ પછી દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે હિન્દી અને અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું. આ દિવસે 72 વર્ષ પહેલા 1935માં ભારત સરકારના બદલે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. જોકે, ભારતનું બંધારણ બનાવવાનું કામ તા. 26 નવેમ્બર 1949ના રોજ પૂર્ણ થયું હતું. તેને બંધારણ સભાએ પણ મંજૂરી આપી હતી. પરંતુ કહેવાય છે કે, તા. 26 જાન્યુઆરી 1930થી કોંગ્રેસે પૂર્ણ સ્વરાજનો નારો આપ્યો હતો. તેથી 2 મહિનાની રાહ જોઈને તા. 26 જાન્યુઆરી 1950ના રોજ દેશના છેલ્લા ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીએ ભારતીય પ્રજાસત્તાકની ઘોષણા કરી.

બ્રિટિશ સંસદ દ્વારા 18 જુલાઈ 1947ના રોજ 'ભારતીય સ્વતંત્રતા અધિનિયમ' પસાર કરવામાં આવ્યો હતો. જેના કારણે ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાનનું નિર્માણ થયું. આ અધિનિયમ હેઠળ, પાકિસ્તાને તા. 14 ઓગસ્ટ 1947ના રોજ અને ભારતે 15 ઓગસ્ટ 1947ના રોજ તેની આઝાદીની ઘોષણા કરી હતી. જોકે, આઝાદીના એક વર્ષ પહેલા, 9 ડિસેમ્બર 1946ના રોજ, એ નક્કી કરવામાં આવ્યું હતું કે, ભારતનું પોતાનું બંધારણ હશે. આ માટે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી ચાલેલી બેઠક બાદ ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું હતું. 26 નવેમ્બર 1949 ના રોજ, બંધારણ સભાએ ભારતની બંધારણ સભાને મંજૂરી આપી. અત્યારે ગણતંત્ર દિવસની પરેડ સવારે શરૂ થાય છે, પરંતુ પહેલી પરેડ સાંજે થઈ હતી. તા. 26 જાન્યુઆરી 1950ના રોજ બપોરે 2.30 વાગ્યે રાજેન્દ્ર પ્રસાદ એક વેગનમાં રાષ્ટ્રપતિ ભવનથી નીકળ્યા. રાષ્ટ્રપતિ કનોટ પ્લેસ જેવા વિસ્તારોમાં થઈને બપોરે 3.45 કલાકે નેશનલ સ્ટેડિયમ પહોંચ્યા હતા, ત્યારે નેશનલ સ્ટેડિયમને ઈરવિન સ્ટેડિયમ કહેવામાં આવતું હતું. રાષ્ટ્રપતિ જે ગાડીમાં સવાર હતા તે ગાડી તે સમયે 35 વર્ષની હતી. 6 ઓસ્ટ્રેલિયન ઘોડાઓ વેગન ખેંચી રહ્યા હતા. સાંજે પરેડ સ્થળ પર રાષ્ટ્રપતિને 31 તોપોની સલામી આપવામાં આવી હતી. 1950માં યોજાયેલી પ્રથમ પરેડમાં પણ જનતાને સામેલ કરવામાં આવી હતી. ત્રણ હજાર સૈનિકો અને 100 વિમાન પ્રથમ પરેડનો ભાગ હતા. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિને બોલાવવાની પરંપરા પ્રથમ પરેડથી જ હતી. ઇન્ડોનેશિયાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. સુકર્નો પ્રથમ ગણતંત્ર દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ બન્યા હતા. જોકે, પ્રથમ 5 વર્ષ સુધી પ્રજાસત્તાક દિવસની પરેડનું સ્થળ નક્કી થયું ન હતું. 1950થી 1954 સુધી, પરેડ ક્યારેક ઇરવિન સ્ટેડિયમમાં, ક્યારેક લાલ કિલ્લા પર અને ક્યારેક રામલીલા મેદાન પર યોજવામાં આવી હતી. 1955માં નક્કી થયું કે, પરેડ રાજપથથી નીકળીને લાલ કિલ્લા સુધી જશે. ત્યારથી દર વર્ષે રાજપથ પર પરેડ કાઢવામાં આવે છે. 1955માં લાલ કિલ્લા પર મુશાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 1955માં રાજપથ પર પ્રથમ પરેડમાં પાકિસ્તાનના ગવર્નર જનરલ મલિક ગુલામ મોહમ્મદ મુખ્ય અતિથિ હતા. વર્ષ વીતવાની સાથે પ્રજાસત્તાક દિવસની પરેડની ભવ્યતામાં પણ વધારો થયો છે. આરટીઆઈના જવાબમાં સરકારે કહ્યું હતું કે 2001ની પરેડમાં 145 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે 2014ની પરેડમાં 320 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

Next Story