Connect Gujarat
દેશ

સરહદ પર નવાજૂનીના એંધાણ ! વાંચો સુરક્ષા દળોને કોણે કહ્યું કોઈ પણ સંકટને પહોંચી વળવા તૈયાર રહ્યો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે સુરક્ષા દળોને કહ્યું છે કે તે કોઈ પણ રીતે સંકટને પહોંચી વળવા માટે શોર્ટ નોટિસમાં તૈયાર

સરહદ પર નવાજૂનીના એંધાણ ! વાંચો સુરક્ષા દળોને કોણે કહ્યું કોઈ પણ સંકટને પહોંચી વળવા તૈયાર રહ્યો
X

રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે સુરક્ષા દળોને કહ્યું છે કે તે કોઈ પણ રીતે સંકટને પહોંચી વળવા માટે શોર્ટ નોટિસમાં તૈયાર રહે. સીમા પર વધી રહેલા તણાવની વચ્ચે નિવેદન ઘણું મહત્વનું છે. ચીન સતત બોર્ડર પર પોતાની એક્ટિવિટી વધારી રહ્યું છે. વાયુસેનાના ત્રણ દિવસીય છ માસિક કમાન્ડર કોન્ફરન્સની શરુઆતમાં કોન્ફરન્સમાં વાયુસેનાના મુખ્ય અધિકારી ને સંબોધિત કરતા રાજનાથ સિંઘે આ વાત કહી છે.LAC પર લદ્દાખ સેક્ટર અને ઈસ્ટર્ન સેક્ટરમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ ઓછો નથી થઈ રહ્યો. બન્ને તરફથી સીમા પર સૈન્ય પ્રવૃત્તિઓની સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવી રહ્યું છે. ગત 18 મહિનાથી લદ્દાખમાં બન્ને દેશોની વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે અને આ ઓછી નથી થઈ રહી. રક્ષા મંત્રીએ વાયુ સેનાની ઉચ્ચ સ્તરીય તૈયારીઓ અને કોઈ પણ પ્રકારની સ્થિતિમાં શોર્ટ નોટિસ પર તૈયાર રહેવાની ક્ષમતાના વખાણ કર્યા છે કમાન્ડર્સને સંબોધિત કરતા વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી તાત્કાલિક જવાબ આપવા માટે અનેક સ્તર પર ક્ષમતાને વધારવા પર ભાર મુક્યો છે. તેમણે કહ્યું કે જો ભારતની વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ગતિવિધિ થાય છે તો અમે જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. વાયુસેના પ્રમુખે સેના અને નૌસેનાની સાથે સંયુક્ત અભ્યાસની જરૂરિયાત પર ભાર મુક્યો જેથી ભવિષ્યની જંગ માટે તૈયાર થઈ શકે. રક્ષા મંત્રીએ આ સંબંધમાં કહ્યું કે આ અંગે વિચાર ચાલી રહ્યો છે કે તમામ લોકો સાથે વાત ચાલી રહી છે

Next Story