Connect Gujarat
દેશ

NEETમાં નાપાસ વિદ્યાર્થીઓ જાય છે વિદેશ, કેન્દ્રીય મંત્રી જોશીના નિવેદન પર NCP અને કોંગ્રેસેના આકરા પ્રહાર

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના નિવેદનથી દેશમાં શાબ્દિક યુદ્ધ છેડાયું છે.

NEETમાં નાપાસ વિદ્યાર્થીઓ જાય છે વિદેશ, કેન્દ્રીય મંત્રી જોશીના નિવેદન પર NCP અને કોંગ્રેસેના આકરા પ્રહાર
X

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના નિવેદનથી દેશમાં શાબ્દિક યુદ્ધ છેડાયું છે. યુક્રેનમાં અટવાયેલા ભારતીય વિદ્યાર્થીઓ વિશે, જોશીએ કથિત રીતે કહ્યું હતું કે વિદેશમાં અભ્યાસ કરતા 90 ટકા મેડિકલ વિદ્યાર્થીઓ NEET પાસ કરવામાં અસમર્થ છે. તેમના નિવેદન પર વિવાદ થયો હતો. કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ કેન્દ્રીય મંત્રી જોશી પર નિશાન સાધ્યું છે. જો કે કેન્દ્રીય મંત્રીએ પણ પોતાના નિવેદન અંગે કહ્યું હતું કે આ મુદ્દા પર ચર્ચા કરવાનો અત્યારે યોગ્ય સમય નથી, પરંતુ તે પહેલા આ નિવેદન ચર્ચામાં આવ્યું હતું.

Next Story