ગીર સોમનાથ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો...
તા. 26મી જાન્યુઆરી, 2022ના રોજ 73મા પ્રજાસત્તાક દિવસની રાજ્યભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
તા. 26મી જાન્યુઆરી, 2022ના રોજ 73મા પ્રજાસત્તાક દિવસની રાજ્યભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે રાજ્ય કક્ષાના ધ્વજવંદન સમારોહનું આયોજન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જીલ્લામાં કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જીલ્લામાં આજે તા. 26મી જાન્યુઆરી, 2022ના રોજ 73મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી રાશતાગાન કર્યું હતું. ધ્વજ વંદન બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ-કર્મચારીઓ-અધિકારીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે, કોરોના સંક્રમણ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને ધ્વજવંદન, બેઠક વ્યવસ્થા, પ્રમાણપત્ર વિતરણ અને વૃક્ષારોપણ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.