Connect Gujarat
દેશ

ખેડૂતો માટે ખુશખબર ! મોદી સરકાર ધરતીપુત્રોને બેન્ક ખાતામાં આપશે મોટી રકમ

ખેડૂતો માટે ખુશખબર ! મોદી સરકાર ધરતીપુત્રોને બેન્ક ખાતામાં આપશે મોટી રકમ
X

આગામી વર્ષે યુપી સહિત 5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને હાલમા ખેડૂત આંદોલન પર ચરમસીમાએ ચાલી રહ્યું છે તેવે ટાણે ખેડૂતોને મનાવવા જરુરી હોવાથી કેન્દ્ર સરકારે આ રકમ રિલિઝ કરવાની તૈયારી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ચૂંટણીમાં થતા નુકશાનમાંથી બચવા માટે પીએમ કિસાન સમ્માન નિધિનો આગામી હપ્તો 19000 કરોડ રુપિયા 9 મી ઓગસ્ટે જારી કરવાની તૈયારીમાં છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની આગેવાનીમાં 9 ઓગસ્ટે એક જ વખતે તમામ લાભાર્થીઓને આ રકમ ટ્રાન્સફર કરવાની યોજના ચાલી રહી છે. છેલ્લો હપ્તો 14 મે ના રોજ આપવામાં આવ્યો હતો.

આ યોજના હેઠળ 9.5 કરોડ લાભાર્થીઓના ખાતામાં પૈસા જમા કરાવવાના છે. કેન્દ્ર સરકારે કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રુપિયા આપે છે.2-2 હજારના ત્રણ હપ્તામાં આ પૈસા ખેડૂતોના ખાતામાં સીધી રીતે જમા થઈ જાય છે. આ યોજના હેઠળ ખેડૂતોને અત્યાર સુધીમાં 8 હપ્તા મળી ચૂક્યા છે અને 9 મો હપ્તો ટૂંક સમયમાં જારી થશે.

Next Story