ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 1,49,394 કેસ નોંધાયા, 1072 દર્દીઓના થયા મોત
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 1,49,394 કેસ નોંધાયા છે. અને 1072 દર્દીઓના મોત થયા
BY Connect Gujarat4 Feb 2022 4:40 AM GMT
X
Connect Gujarat4 Feb 2022 4:40 AM GMT
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 1,49,394 કેસ નોંધાયા છે. અને 1072 દર્દીઓના મોત થયા. તો સાથે આજે 2,46,674 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ભારતમાં આજે કોરોનાવાયરસના કેસો: દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,49,394 કેસ નવા નોંધાયા છે અને 1072 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના 13 ટકા કેસ ઓછા આવ્યા છે. ગઈકાલે 1,72, 433 કેસ આવ્યા હતા. દેશમાં પોઝિટીવીટી રેટ હવે 9.27 ટકા છે.
ગઈકાલે કોરોનાનાં કારણે થયેલ મૃત્યુની સંખ્યા ૧૦૦૮ હતી જ્યારે આજે આ આંકડો વધીને 1072 થયો છે.
Next Story