દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 221 નવા કેસ નોંધાયા, 15 સંક્રમિતોના મોત
BY Connect Gujarat Desk12 Sep 2022 4:01 AM GMT
X
Connect Gujarat Desk12 Sep 2022 4:01 AM GMT
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 221 નવા કેસ નોંધાયા છે અને 15 સંક્રમિતોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 47 હજાર 176 થઈ છે. કુલ 4 કરોડ 45 લાખ 580 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 165 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 215 કરોડ 26 લાખ 13 હજાર 049 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 17 લાખ 81 હજાર 723 ડોઝ અપાયા હતા.
Next Story