Connect Gujarat
દેશ

જમ્મુ કાશ્મીરઃ કુલગામમાં સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક પોલીસ જવાન ઘાયલ થયો છે

જમ્મુ કાશ્મીરઃ કુલગામમાં સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા
X

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક પોલીસ જવાન ઘાયલ થયો છે.જેને સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરાયો છે.બીજી તરફ કુલગામમાં ચાલતી અથડામણમાં સુરક્ષા જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે.

કાશ્મીરના વિસ્તાર અનંતનાગમાં સેનાના સુરક્ષા કર્મીઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.અથડામણમાં પોલીસના એક જવાને ગોળી વાગી છે,જેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો છે. કહેવાય છે કે, સેનાના જવાનોના વ્યૂહમાં એક બે આતંકીઓ ઘેરાયા છે. પોલીસને નૌગામ શાહાબાદ વિસ્તારમાં આતંક્વાદીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ, પોલીસ, સેના અને CRPFની સંયુકત ટીમે વિસ્તારને ઘેરાબંધી કરી. પોતાને ઘેરાયેલા જોઇને આતંકવાદીઓએ ફાયરિંગ શરુ કરી દીધુ.અને વળતા જવાબથી અથડામણ શરુ થઇ.બીજજી તરફ કુલગામનાં મીરહામામાં સુરક્ષાદળોને આતંકવાદીઓની સૂચના મળતા તલાશી અભિયાન શરુ કરાયું હતું.જેમાં આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ શરુ કર્યું હતું. વળતા પ્રહારથી શરુ થયેલી અથડામણમાં જવાનોએ ત્રણ આતંકવાદીઓને વીંધી નાખ્યા હતા.આતંકવાદીઓની હજુ ઓળખ થઈ શકી નથી


Next Story