Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર : 1200થી વધુ બાળકોની 'માઈ' સિંધુતાઈ સપકલનું નિધન

પ્રખ્યાત સામાજિક કાર્યકર અને અનાથોની સેવા કરનાર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિંધુતાઈ સપકલનું લાંબી સારવાર બાદ ગતરોજ રાત્રિના સમયે પુણેમાં અવસાન થયું હતું.

મહારાષ્ટ્ર : 1200થી વધુ બાળકોની માઈ સિંધુતાઈ સપકલનું નિધન
X

પ્રખ્યાત સામાજિક કાર્યકર અને અનાથોની સેવા કરનાર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિંધુતાઈ સપકલનું લાંબી સારવાર બાદ ગતરોજ રાત્રિના સમયે પુણેમાં અવસાન થયું હતું.

એક મહિના અગાઉ સિંધુતાઈ સપકલનું હર્નિયાનું ઓપરેશન થયું હતું. પુણેની ગેલેક્સી કેર હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. રાત્રે 8.10 કલાકે હૃદયરોગના હુમલાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેની જાણ પુણેની ગેલેક્સી કેર હોસ્પિટલના ડૉ શૈલેષ પુનતામ્બેકરે કરી છે. સિંધુતાઈ સપકલને લોકો 'માઈ' કહેતા હતા. તેઓ પુણેમાં સનમતિ બાલ નિકેતન સંસ્થા નામનું અનાથાશ્રમ ચલાવે છે. તેમણે તેમના જીવનમાં 1,200 થી વધુ અનાથ બાળકોને દત્તક લીધા હતા. સિંધુ તાઈ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના ભરવાડ પરિવાર સાથે સંબંધ ધરાવે છે, સિંધુ તાઈનું બાળપણ વર્ધામાં વીત્યું હતું, તેમનું બાળપણ ઘણી મુશ્કેલીઓ વચ્ચે વીત્યું હતું.

સિંધુ જ્યારે 9 વર્ષની હતી ત્યારે તેના લગ્ન એક મોટી ઉંમરના પુરુષ સાથે થયા હતા. સિંધુ તાઈ ચોથા ધોરણ સુધી જ ભણી હતી, તે આગળ ભણવા માંગતી હતી પરંતુ લગ્ન બાદ તેના સાસરિયાઓએ તેનું સપનું સાકાર થવા દીધું ન હતું. આમાંના ઘણા લોકો આજે પોતે અનાથાશ્રમ ચલાવે છે. સિંધુતાઈને તેમની સામાજિક સેવા માટે ઘણા એવોર્ડ મળ્યા છે. તેમના જીવન પર મરાઠી ફિલ્મ મી સિંધુતાઈ સપકલ બનાવવામાં આવી છે, જે વર્ષ 2010માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 54માં લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવવામાં આવી છે. અભ્યાસથી માંડીને એવી ઘણી નાની-મોટી બાબતો હતી, જેમાં સિંધુ તાઈને હંમેશા અન્યાયનો સામનો કરવો પડ્યો હતો. તેણે તેની સામે અવાજ પણ ઉઠાવ્યો, પરંતુ પરિણામ એ આવ્યું કે જ્યારે તેઑ ગર્ભવતી હતા ત્યારે તેના સાસરિયાઓએ તેમને ઘરની બહાર કાઢી મૂકયા હતા. એટલું જ નહીં, સાસરિયાં તેમને ઘરની બહાર લઈ ગયા, પરંતુ તેમના માતા-પિતાએ પણ તેમને અહીં રાખવાની ના પાડી દીધી.

Next Story