Connect Gujarat
દેશ

એક વર્ષમાં 1.5 લાખથી વધારે લોકોએ છોડી દીધી ભારતીય સિટીઝનશીપ !

વર્ષ 2021માં કેટલા ભારતીય નાગરિકોએ દેશની નાગરિકતા છોડીને અન્ય કોઈ દેશની નાગરિકતા અપનાવી તેવા સવાલના સંસદમાં આપેલા જવાબે ચોંકાવી દીધા છે.

એક વર્ષમાં 1.5 લાખથી વધારે લોકોએ છોડી દીધી ભારતીય સિટીઝનશીપ !
X

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના નાગરિકોમાં નાગરિકતા છોડવાનું ચલણ વધ્યું છે. વર્ષ 2021માં કેટલા ભારતીય નાગરિકોએ દેશની નાગરિકતા છોડીને અન્ય કોઈ દેશની નાગરિકતા અપનાવી તેવા સવાલના સંસદમાં આપેલા જવાબે ચોંકાવી દીધા છે. એક લેખિત પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ સંસદમાં જણાવ્યું છે કે વર્ષ 2019ની સરખામણીમાં વર્ષ 2021માં કુલ 1 લાખ 63 હજાર 370 લોકોએ ભારતની નાગરિકતા છોડી અને કોઈપણ અન્ય દેશની નાગરિકતા લીધી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર વતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદે કહ્યું કે, વર્ષ 2019માં અહીં આંકડો 1.44 લાખ હતો. સરકારે તેના જવાબમાં રજૂ કરેલા કુલ 123 દેશોની યાદીમાં 6 એવા દેશો છે જેમાં વર્ષ 2021માં કોઈ ભારતીયે ભારતની નાગરિકતા છોડી ત્યાંની નાગરિકતા લીધી નથી. સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ વર્ષ 2019માં એક પણ ભારતીયે ભારતની નાગરિકતા છોડીને પાકિસ્તાનની નાગરિકતા અપનાવી નથી. વર્ષ 2019માં એક પણ ભારતીયે પાકિસ્તાની નાગરિકતા લીધી ન હતી, જ્યારે વર્ષ 2021માં 41 ભારતીયોએ પાકિસ્તાનની નાગરિકતા અપનાવી હતી. જ્યારે વર્ષ 2020માં પાકિસ્તાનની નાગરિકતા લેનારા ભારતીયોની સંખ્યા માત્ર 7 હતી. સરકારને સવાલમાં આનું કારણ પણ પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં સરકારે કહ્યું છે કે આવા તમામ લોકોએ તેમના અંગત કારણોસર તેમની નાગરિકતા છોડી દીધી છે.

Next Story