મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાથી હાહાકાર, મુંબઈમાં આજે 20 હજારથી પણ વધુ નવા કેસ નોધાયા
BY Connect Gujarat Desk8 Jan 2022 4:48 PM GMT
X
Connect Gujarat Desk8 Jan 2022 4:48 PM GMT
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. જોકે, શુક્રવારની સરખામણીમાં શનિવારે મુંબઈમાં કોરોનાના કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે. આજે મુંબઈમાં 20 હજાર 318 નવા કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ છે, જ્યારે શુક્રવારે 24 કલાક દરમિયાન 20 હજાર 971 કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.
છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈમાં 5 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. હાલમાં શહેરમાં કોરોનાના 1 લાખ 6 હજાર 37 એક્ટિવ દર્દીઓ છે. સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં 21.4 ટકા બેડ પર દર્દીઓ છે. BMC દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 6 હજાર 3 દર્દીઓ સાજા થયા છે, ત્યારબાદ કોરોનાથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 7 લાખ 70 હજાર 56 થઈ ગઈ છે.
Next Story