કૃષિ કાયદા અંગે નિતિશ કુમારનું નિવેદન, કહ્યું પી.એમ.મોદીએ બધુ જ સ્પષ્ટ કરી દીધુ
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને પાછો ખેંચવાની જાહેરાત પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું છે કે ”વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધું સ્પષ્ટ કરી દીધું છે.
BY Connect Gujarat Desk19 Nov 2021 11:26 AM GMT
X
Connect Gujarat Desk19 Nov 2021 11:26 AM GMT
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને પાછો ખેંચવાની જાહેરાત પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું છે કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધું સ્પષ્ટ કરી દીધું છે. આ નિર્ણય તેમનો છે. અગાઉ પણ નિર્ણય તેમણે જ લીધો હતો. હવે જે યોગ્ય લાગ્યુ તે નિર્ણય લીધો છે અને પીએમ મોદીએ બધું સ્પષ્ટ કરી દીધું છે. વિપક્ષના લોકોને જે કહેવુ છે તે તેમની પોતાની મરજી છે. ખેડૂતો માટે જે કામ થઈ રહ્યું છે તે ચાલુ રહેશે. ત્યાં કોઈ અસંતોષ નથી. આ વડાપ્રધાનનો નિર્ણય હતો અને આ ત્રણેય કાયદા સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. આ નિર્ણય તેમનો છે, તેથી તેના પર કોઈ પ્રતિક્રિયા ન હોઈ શકે. તેમણે દરેક વાત સ્પષ્ટ કરી દીધી છે."
Next Story