Connect Gujarat
દેશ

કોંગ્રેસમાં થયો ભડકો; ડીસીપ્લીનરી કમિટીમાંથી ગુલામ નબી આઝાદ થયા બહાર

જમ્મુ-કાશ્મીર કોંગ્રેસમાં પણ પંજાબ જેવો જ અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે. તાજેતરમાં કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદ

કોંગ્રેસમાં થયો ભડકો; ડીસીપ્લીનરી કમિટીમાંથી ગુલામ નબી આઝાદ થયા બહાર
X

જમ્મુ-કાશ્મીર કોંગ્રેસમાં પણ પંજાબ જેવો જ અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે. તાજેતરમાં કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદ 20 જેટલા સમર્થક નેતા રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની માંગ સાથે પાર્ટીમાંથી રાજીનામા ધરી દીધા છે. એ પછી હવે કોંગ્રેસ ડીસીપ્લીનરી કમિટીમાંથી આઝાદને બહાર કરી દીધા છે.

કોંગ્રેસે આ કમિટિની ફરી રચના કરી છે અને હવે આ કમિટીના અધ્યક્ષ એ કે એન્ટનીને બનાવાયા છે. જ્યારે તારિક અનવર કમિટીના સચિવ હશે. કમિટિમાં અંબિકા સોની, દિલ્હીના નેતા જય પ્રકાશ અગ્રવાલ તેમજ કર્ણાટક નેતા જી પરમેશ્વરને સભ્ય તરીકે સ્થાન આપ્યું છે. ગુલામ નબી આઝાદ કોંગ્રેસના જી-23 તરીકે ઓળખાતા ગ્રુપના મનાય છે અને ગુલામ નબીએ સપ્ટેમ્બર મહિનામાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો કે, પાર્ટીના મામલા પર ચર્ચા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવે. જોકે આઝાદ સમર્થકોએ હવે કોંગ્રેસ સામે જમ્મુ કાશ્મીરમાં નવો મોરચો ખોલ્યો છે. જેના કારણે પંજાબની જેમ અહીંયા પણ રાજ્ય કક્ષાએ આંતરિક ઘમાસાણ શરૂ થયું છે.

Next Story