રાજસ્થાનમાં બસમાં 12 લોકો જીવતા ભૂંજાયા,ભયાનક અકસ્માત
ટેન્કરે બસને ટક્કર મારી જેના કારણે બસમાં આગ લાગી હતી. બસમાં કુલ 25 મુસાફરો સવાર હતા.
રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઇવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં ટેંકર અને બસ એકબીજા સાથે ધડાકાભેર અથડાયા જેના કારણે ઘટના સ્થળે જ 12 લોકોના આગની ઝપેટમાં આવી ગયા જેથી તેમના મોત થયા છે. આ અકસ્માતને લઈને હાઈવે પર પણ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.એવી માહિતી સામે આવી છે કે ટેન્કરે બસને ટક્કર મારી જેના કારણે બસમાં આગ લાગી હતી. બસમાં કુલ 25 મુસાફરો સવાર હતા. જેમા 10 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો પણ સ્થળે પહોંચ્યા હતો.બસમાં સવાર એક યાત્રીના કહેવા પ્રમાણે સવારે 9.55ના સમયે બસ બાલોતરાથી રવાના તઈ હતી. તે સમયે રોન્ગ સાઈડમાં આવી રહેલા ટેન્કરે બસને ટક્કર મારી દીધી જેના કારણે બસમાં અચાનક આગ લાગી હતી. જેમા ગણતરીની મિનિટોમાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. જોકે તેજ સમયે 10 લોકોને સલામત રીતે બસની બહાર કાઢવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જ પોલીસ અને પ્રશાસન તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. સાથેજ સ્થળ પર રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત જે પણ લોકોના આ અકસ્માતમાં મોત થયા છે તેમના મૃતદેહોને બાહર કાઢવામાં આવ્યા હતા