મંકીપોક્સની રસી બનાવવાની રેસમાં સીરમ ઇન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેક..!
કોરોનાની જેમ હવે મંકીપોક્સ વેક્સીનને લઈને દેશની બે મોટી પ્રખ્યાત કંપનીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. ગત વખતે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપની એન્ટી-કોરોનાવાયરસ કોવેક્સિન બનાવવામાં મોખરે હતી.

કોરોનાની જેમ હવે મંકીપોક્સ વેક્સીનને લઈને દેશની બે મોટી પ્રખ્યાત કંપનીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. ગત વખતે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપની એન્ટી-કોરોનાવાયરસ કોવેક્સિન બનાવવામાં મોખરે હતી. આ વખતે પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) પણ સરકાર સાથે મળીને મંકીપોક્સની રસી બનાવવા માંગે છે. જોકે, આ બંને કંપનીઓએ હજુ સુધી પોતાનો દાવો રજૂ કર્યો નથી. જ્યારે આરોગ્ય મંત્રી સાથેની બેઠકમાં દાવો કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા સાથેની ઓનલાઈન મીટિંગમાં ભારત બાયોટેક અને સીરમ બંને કંપનીઓએ મંકીપોક્સને વહેલી તકે નાબૂદ કરવાનો દાવો કર્યો છે. આ માટે તેમને જીવંત વાયરસની જરૂર પડશે જેમાં ICMR સહયોગ કરશે.
બેઠકમાં ભારત બાયોટેક કંપનીના ચેરમેન ડો.ક્રિષ્ના ઈલાએ જણાવ્યું હતું કે, આ રસી ગુજરાતના અંકલેશ્વરમાં બનાવવામાં આવશે. અત્યાર સુધી આ રસી વિશ્વમાં માત્ર બે જ જગ્યાએ બનાવી શકાય છે, એક અંકલેશ્વરમાં અને બીજી જર્મનીના બાવેરિયન નોર્ડિકમાં.
જેમ કોવેક્સિનના દરેક ડોઝ પર ICMRને 5% રોયલ્ટી આપવામાં આવી રહી છે. એ જ રીતે, ફાર્મા કંપનીએ મંકીપોક્સની રસી પર રોયલ્ટી ચૂકવવી પડશે. તે કેટલા ટકા હશે? કરાર બાદ ખબર પડશે. સીરમ કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે તેમની કંપનીએ ઝડપથી મંકીપોક્સની રસીની શોધ શરૂ કરી દીધી છે. આ માટે અમેરિકા અને યુરોપના વૈજ્ઞાનિકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 459 નવા કેસ નોધાયા, 922 દર્દીઓએ કોરોનાને આપી...
12 Aug 2022 4:45 PM GMTભરૂચ: K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા આઝાદીના અમૃતકાળની...
12 Aug 2022 3:20 PM GMTઅંકલેશ્વર : GIDCમાં આવેલ યોગેશ્વરનગરમાં 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ...
12 Aug 2022 3:02 PM GMTઅંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો...
12 Aug 2022 2:18 PM GMTભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ...
12 Aug 2022 1:24 PM GMT