દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી.17 મહિના બાદ આખરે મનીષ સિસોદિયાને જામીન મળી ગયા છે.
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી હતી. જેની સામે આખરે સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી હતી.
ઉલ્લેખનીય છે કે મનીષ સિસોદિયાને જામીન મળવાના કારણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી,અને હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ જામીન મળશે તેવો આશાવાદ આમ આદમી પાર્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.