રાજસ્થાન ઉદયપુરમાં ટેલર કનૈયાલાલ નિર્મમ હત્યા બાદ તંગદિલી, દેશમાં હાલ પોલીસ એલર્ટ
પોલીસે હત્યામાં સામેલ રિયાઝ મોહમ્મદ અને ગોસ મોહમ્મદની રાજસમંદ જિલ્લાથી ધરપકડ કરી લીધી

ઉદયપુરમાં એક ટેલરની ધોળા દિવસે હત્યા બાદ પરિસ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. પોલીસે હત્યામાં સામેલ રિયાઝ મોહમ્મદ અને ગોસ મોહમ્મદની રાજસમંદ જિલ્લાથી ધરપકડ કરી લીધી છે.રાજસ્થાનમાં ઘટના બાદ મધ્યપ્રદેશમાં લો એન્ડ ઓર્ડર બનાવી રાખવાનો આદેશ આપવામાં આવ્યા છે. તો સમગ્ર દેશમાં હાલ પોલીસ એલર્ટ થઇ ચૂકી છે.
હત્યા બાદ તણાવ વધતા પોલીસે ઉદયપુરમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. આખા રાજસ્થાનમાં 144 લાગુ કરી દેવામાં આવ્યું છે. જયપુરથી 600 પોલીસકર્મી ઉદયપુર જવા રવાના થઇ ચૂક્યા છે.રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે બપોરે કનૈયાલાલ હત્યાકાંડ મામલાને લઈને રાજસ્થાન સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાંપ્રદાયિક માહોલને તણાવપૂર્ણ થવાથી રોકવા માટે આખા રાજ્યમાં કલમ 144 લાગૂ કરવા અને મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય સચિવ ઉષા શર્મા અને પોલીસ મહાનિર્દેશક મોહનલાલ લાઠરની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક થઈ. આ બેઠક બાદ પ્રદેશના તમામ ડીવીઝનલ કમિશનર અને જિલ્લા કલેકટરોને પોત-પોતાના જિલ્લામાં કલમ 144 લાગુ કરવા અને મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ આપ્યા. કેટલાક જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ અપાય ચૂક્યા છે.તો બીજીબાજુ કનૈયાલાલ નિર્મમ હત્યા મામલે 7 કલાક બાદ મૃતદેહ પોલીસે ઉઠાવ્યો હતો મૃતકના પરિવારજનોને 31 લાખના વળતરની જાહેરાત પણ કરવામાં આવી છે તો પરિવારના 2 સભ્યોને કોન્ટ્રાક્ટ પર નોકરી આપવામાં આવશે સોશિયલ મીડિયા પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા પર મંગળવારે એક ટેલર કનૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી નાખી. કહેવામાં આવી રહ્યું છે કે, આ પોસ્ટ તેમના 8 વર્ષના બાળકે કરી હતી.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMT
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 678 કોરોના કેસ નોંધાયા, 1082 દર્દીઓ થયા...
10 Aug 2022 4:23 PM GMTભરૂચ-અંકલેશ્વરમાં યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા...
10 Aug 2022 3:00 PM GMTસુત્રાપાડાના લોઢવા ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ...
10 Aug 2022 2:58 PM GMTભાવનગર : બોરતળાવ પોલીસ મથકની દબંગગીરી, હીરા ચોરીના વેપારીને ઢોર માર...
10 Aug 2022 12:38 PM GMTઅમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 5 વર્ષથી બંધ અનુપમ બ્રિજ ખુલ્લો...
10 Aug 2022 12:11 PM GMT