Connect Gujarat
દેશ

તમિલનાડુ: શ્રીલંકાએ દરિયાઈ સીમાઓ પાર કરવાના આરોપમાં ભારતીય માછીમારોની કરી ધરપકડ

શ્રીલંકન નેવીએ તમિલનાડુમાંથી 16 માછીમારોની ધરપકડ કરી છે. તેમના પર દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરીને શ્રીલંકાના ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો આરોપ છે.

તમિલનાડુ: શ્રીલંકાએ દરિયાઈ સીમાઓ પાર કરવાના આરોપમાં ભારતીય માછીમારોની કરી ધરપકડ
X

શ્રીલંકન નેવીએ તમિલનાડુમાંથી 16 માછીમારોની ધરપકડ કરી છે. તેમના પર દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરીને શ્રીલંકાના ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો આરોપ છે.

રામેશ્વરમના અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રીલંકાની આ કાર્યવાહી બે અલગ-અલગ ઘટનાઓ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. શ્રીલંકાએ બે યાંત્રિક બોટ પણ જપ્ત કરી છે. તેમણે કહ્યું કે 12 માછીમારો કાચાથીવુ ટાપુ નજીકથી અને બાકીના મન્નારની ખાડીમાંથી પકડાયા હતા. શ્રીલંકાએ ગયા મહિને પણ ઘણી વખત ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. તે સમયે આ માછીમારો ત્યાં માછીમારી કરતા હતા. બંને દેશો વચ્ચે માછીમારોને લઈને અવારનવાર વિવાદો થતા રહે છે. ભારતના કડક વલણ બાદ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે.

Next Story