જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ બે પરપ્રાંતીય મજૂરો પર ગોળીબાર કર્યો, એકનું મોત
મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારના મગરેપોરામાં આતંકવાદીઓએ બે પરપ્રાંતીય મજૂરો પર ગોળીબાર કર્યો છે.
BY Connect Gujarat3 Jun 2022 4:33 AM GMT
X
Connect Gujarat3 Jun 2022 4:33 AM GMT
મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારના મગરેપોરામાં આતંકવાદીઓએ બે પરપ્રાંતીય મજૂરો પર ગોળીબાર કર્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર, એક મજૂરને હાથમાં અને બીજાને ખભામાં ગોળી વાગી હતી. બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
બિહારના રહેવાસી મજૂર દિલખુશને SMH હોસ્પિટલ પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અન્ય મજૂરનું નામ ગોરિયા છે, જે પંજાબના ગુરદાસપુરનો છે. હુમલા બાદ તરત જ હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
ઘાટીમાં 1 મે પછી આ ત્રીજી વખત છે જ્યારે હિન્દૂ સરકારી કર્મચારીની હત્યા કરવામાં આવી છે. આ સાથે છેલ્લા એક મહિનામાં ટાર્ગેટ કિલિંગનો આ આઠમો કેસ છે.
Next Story