ઓમિક્રોનના સતત વધી રહેલા કેસને લઈ મહારાષ્ટ્ર સરકારે નવી કોવિડ માર્ગદર્શિકા જાહેર કરી
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સતત વધી રહેલા કેસને લઈ મહારાષ્ટ્ર સરકારે નવી કોવિડ માર્ગદર્શિકા જાહેર કરી છે
BY Connect Gujarat24 Dec 2021 4:42 PM GMT
X
Connect Gujarat24 Dec 2021 4:42 PM GMT
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સતત વધી રહેલા કેસને લઈ મહારાષ્ટ્ર સરકારે નવી કોવિડ માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ, રાજ્યભરના જાહેર સ્થળોએ રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી 5 થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હોલમાં થતા લગ્નોમાં ફક્ત 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે આઉટડોર લગ્નોમાં 250 થી વધુ લોકો હાજર નહી રહી શકે, જીમ, સ્પા માટે 50% ક્ષમતા રાખવામાં આવી છે. હોટેલ, થિયેટર અને સિનેમા હોલમાં પણ 50 ટકા ક્ષમતા નક્કી કરવામાં આવી છે.
Next Story