દેશમાં 24 કલાકમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો જોકે મૃત્યુઆંક વધ્યો
BY Connect Gujarat20 March 2022 4:25 AM GMT
X
Connect Gujarat20 March 2022 4:25 AM GMT
ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. રવિવારે કોરોના કેસ ઘટીને 1761 થયા હતા,શનિવારે દેશમાં 2075 કોરોના કેસ આવ્યાં હતા. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના કેસમાં ઘટાડો તો થયો છે પરંતુ મોતનો આંકડો વધ્યો છે જે ચિંતાજનક છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી 127 લોકોના મોત થયા છે જે શનિવારે ફક્ત 71 હતા.
ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી 127 લોકોએ જીવ ગુમાવ્યાં છે. શનિવારે કોરોનાથી મરનાર લોકોની સંખ્યા 71 હતી જે આજે વધીને 127 થઈ.આમ એક દિવસમાં મોતના આંકડાએ મોટી છલાંગ લગાવી છે.
Next Story