Connect Gujarat
દેશ

સુશાંત સિંહ રાજપૂતની યાદમાં ઉત્તરાખંડ સરકાર બનાવશે ફોટોગ્રાફી પોઇન્ટ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ઉત્તરાખંડ સરકાર કેદારનાથ ધામમાં 'ફોટોગ્રાફી પોઈન્ટ' બનાવી યાદ કરશે અને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે .

સુશાંત સિંહ રાજપૂતની યાદમાં ઉત્તરાખંડ સરકાર બનાવશે ફોટોગ્રાફી પોઇન્ટ
X

બોલિવૂડ ફિલ્મ 'કેદારનાથ' માં મુખ્ય ભૂમિકા ભજવનાર દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ઉત્તરાખંડ સરકાર કેદારનાથ ધામમાં 'ફોટોગ્રાફી પોઈન્ટ' બનાવી યાદ કરશે અને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે .સરકારના આ નિર્ણય સામે કોંગ્રેસે આ પગલાને 'ભગવાનના ધામ'માં અયોગ્ય ગણાવ્યું છે. જો કે, સરકારનું કહેવું છે કે કેદારનાથની મુલાકાતે આવતા ભક્તો અને પ્રવાસીઓ, ખાસ કરીને રાજપૂતના ચાહકો, તેમના નામના આ 'ફોટોગ્રાફી પોઈન્ટ' પર તેમની તસવીરો ખેંચી શકશે.

ઉત્તરાખંડ પર્યટન મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના પ્રવાસન વિભાગે આ અંગે એક એક્શન પ્લાન તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. તેણે કહ્યું, 'મેં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના નામે કેદારનાથમાં ફોટોગ્રાફી પોઈન્ટ બનાવવાની વાત કરી છે. તેણે અહીં સારી ફિલ્મ બનાવી. અમે ઇચ્છીએ છીએ કે અમે ત્યાં તેમનો ફોટો મૂકીને તેમને શ્રદ્ધાંજલિ આપીએ.તેમણે વિભાગને બોલિવૂડને ઉત્તરાખંડ તરફ આકર્ષવા માટે સૂચના આપી છે, જેથી અહીં સારી ફિલ્મો બને અને પ્રવાસનને પણ વેગ મળે., સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન અભિનીત આ ફિલ્મ 2018 માં આવી હતી. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ કેદારનાથ અને તેની આસપાસના વિસ્તારોમાં થયું છે. 2013 ની કેદારનાથ દુર્ઘટના પર આધારિત આ ફિલ્મમાં, રાજપૂતે કાંડી સંચાલક ની ભૂમિકા ભજવી હતી.

Next Story