દેશમાં આજે 2,34,281 નવા કેસ નોંધાયા,893 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો
છેલ્લા 24 કલાકમાં 2,34,281 નવા કેસ નોંધાયા છે અને 893 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3,52,784 સંક્રમિતો સાજા થયા
BY Connect Gujarat30 Jan 2022 3:49 AM GMT
X
Connect Gujarat30 Jan 2022 3:49 AM GMT
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. દેશમાં સતત બીજા દિવસે આઠસોથી વધારે લોકોના મોત થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,34,281 નવા કેસ નોંધાયા છે અને 893 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3,52,784 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 18,84,937 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 14.50 ટકા છે.
કેટલું ટેસ્ટિંગ થયું
દેશમાં 29 જાન્યુઆરીએ 14,74,753 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
Next Story