Connect Gujarat
દેશ

આજે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુની પુણ્યતિથિ, સોનિયા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી

આજે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુની પુણ્યતિથિ, સોનિયા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ
X

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. શુક્રવારે સવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પંડિત નેહરુના સ્મારક સ્થળ શાંતિ વન પહોંચ્યા, જ્યાં તેમણે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી.

આ પ્રસંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. પંડિત નેહરુની 58મી પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા સ્મૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Next Story