Connect Gujarat
દેશ

દિલ્હીના અલીપુરમાં વેરહાઉસની દીવાલ ધરાશાયી, અત્યાર સુધીમાં 6ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

દિલ્હીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અલીપોર વિસ્તારમાં એક નિર્માણાધીન ગોડાઉનની દિવાલ શુક્રવારે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી.

દિલ્હીના અલીપુરમાં વેરહાઉસની દીવાલ ધરાશાયી, અત્યાર સુધીમાં 6ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યો શોક
X

દિલ્હીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અલીપોર વિસ્તારમાં એક નિર્માણાધીન ગોડાઉનની દિવાલ શુક્રવારે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે. જો કે દિવાલ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ સ્થળ પર 25થી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ ટ્વીટ કરીને આ જાણકારી આપી.


દિલ્હી પોલીસે જણાવ્યું કે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. કાટમાળ નીચેથી અત્યાર સુધીમાં 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Next Story