Connect Gujarat
દેશ

ભારત કોરોના સામે લડશે અને આગળ પણ વધશે : વડાપ્રધાન નરેન્દ્રમોદી

ભારત કોરોના સામે લડશે અને આગળ પણ વધશે : વડાપ્રધાન નરેન્દ્રમોદી
X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ખાનગી ક્ષેત્ર માટે 41 coal blocksની હરાજીની પ્રક્રિયા શરૂ કરી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત કોરોના સામે લડશે પણ અને આગળ પણ વધશે. પીએમ મોદીએ કહ્યું કે ભારત આફત પર રડનારો દેશ નથી. ભારત આ મોટી આફતને અવસરમાં ફેરવવા માટે ગંભીર છે. આ સંકટે ભારતને આત્મનિર્ભર ભારત થવાનો બોધપાઠ આપ્યો છે. આયાત પર નિર્ભરતા ઓછી કરીશું. યુવાઓને રોજગારી આપીશું.

પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે કોરોનાએ દેશને આત્મનિર્ભર બનવા માટેનો બોધપાઠ આપ્યો છે. ભારત કોરોના સામે લડશે પણ ખરો અને આગળ પણ વધશે. ભારત આ મોટી આફતને અવસરમાં ફેરવવા માટે ગંભીર છે. આત્મનિર્ભર ભારત એટલે કે ભારત આયાત પર પોતાની નિર્ભરતા ઓછી કરશે. આત્મનિર્ભર ભારત એટલે કે ભારત આયાત પર ખર્ચ થતી લાખો કરોડ રૂપિયાની વિદેશી મુદ્રા બચાવશે અને દેશના ગરીબોના કલ્યાણમાં લગાવશે. આત્મનિર્ભર ભારત એટલે કે ભારતને આયાત ન કરવી પડે આથી તે પોતાના જ દેશમાં સાધન અને સંસાધન વિક્સિત કરશે.

પીએમ મોદીએ કહ્યું કે, "હવે ભારતે કોલસા અને માઈનિંગના સેક્ટરને પ્રતિસ્પર્ધા, પૂંજી, ભાગીદારી અને ટેક્નોલોજી માટે સંપૂર્ણ રીતે ખોલવાનો ખુબ મોટો નિર્ણય લીધો છે. 2014 બાદ આ સ્થિતિને બદલવા માટે એક પછી એક પગલાં લેવાયા. જે કોલ લિન્કેજની વાત કોઈ વિચારી પણ શકતું નહતું તે અમે કરી બતાવ્યું છે. આવા પગલાના કારણે કોલસા સેક્ટરને મજબૂતી પણ મળી."તેમણે આગળ કહ્યું કે, "એક મજબૂત માઈનિંગ અને મિનરલ સેક્ટર વગર આત્મનિર્ભરતા શક્ય નથી. કારણ કે મિનરલ અને માઈનિંગ આપણી અર્થવ્યવસ્થાના મહત્વપૂર્ણ સ્તંભ છે. તેના રિફોર્મ્સ બાદ હવે કોલસાના ઉત્પાદન, સંપૂર્ણ કોલસા સેક્ટર પણ એક પ્રકારે આત્મનિર્ભર બનશે."

Next Story